આ બોલાચાલી અને ઝપાઝપી બાદ ગુડ્ડુ અને તેનો મોટો ભાઈ અમરનાથ પ્રદ્યુમન સોની અભિષેકને સમજાવવા ગયા હતા. આ સમયે અભિષેકના ઉપરાણાંમાં તેના મિત્રો સૂર્યપ્રકાશ ઉર્ફે સાહુ, કિશન ગૌતમ અને કરણ ગૌતમ પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

આ ચારેય આરોપીઓએ ભેગા મળીને ગુડ્ડુ અને તેના ભાઈ પર હુમલો કર્યો હતો. ઢીકા-મુક્કીનો માર માર્યા બાદ આરોપી કરણ ગૌતમે ગુડ્ડુના પેટના ભાગે ચપ્પુના અનેક ઘા ઝીંકી દીધા હતા. આ હુમલો એટલો ગંભીર હતો કે ગુડ્ડુના આંતરડા પણ બહાર આવી ગયા હતા અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા બાદ ચારેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

ગુડ્ડુના ભાઈ અમરનાથની ફરિયાદના આધારે અમરોલી પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ગુપ્ત બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે આરોપીઓ ગુજરાત છોડીને ભાગી જવાની ફિરાકમાં છે. આ માહિતી મળતા જ પોલીસે તત્પરતા દાખવી અને સુરત રેલવે સ્ટેશન ખાતેથી ફરાર થયેલા ચારેય આરોપીઓને દબોચી લીધા હતા.

આ મામલામાં વધુ તપાસ અમરોલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરશે. આ ઘટનાએ ફરી એકવાર યુવાનોમાં વધતી હિંસા અને ગુનાખોરીની પ્રવૃત્તિઓ પર ચિંતા વ્યક્ત કરી છે.

રતના અમરોલી વિસ્તારમાં ૧૬ સપ્ટેમ્બરના રોજ થયેલી એક યુવકની હત્યાના મામલામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ગુડ્ડુ સાગર સોની નામના યુવકને ઢીકા-મુક્કી અને ચપ્પુના ઘા મારીને નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. પોલીસે ગુજરાત છોડી ભાગી છૂટવાની કોશિશ કરી રહેલા આરોપીઓને સુરત રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, મૃતક ગુડ્ડુ સાગર સોનીનો તેના પરિચિત અભિષેક કુમાર સાથે કોઈ કારણસર ઝઘડો થયો હતો.

આ બોલાચાલી અને ઝપાઝપી બાદ ગુડ્ડુ અને તેનો મોટો ભાઈ અમરનાથ પ્રદ્યુમન સોની અભિષેકને સમજાવવા ગયા હતા. આ સમયે અભિષેકના ઉપરાણાંમાં તેના મિત્રો સૂર્યપ્રકાશ ઉર્ફે સાહુ, કિશન ગૌતમ અને કરણ ગૌતમ પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

આ ચારેય આરોપીઓએ ભેગા મળીને ગુડ્ડુ અને તેના ભાઈ પર હુમલો કર્યો હતો. ઢીકા-મુક્કીનો માર માર્યા બાદ આરોપી કરણ ગૌતમે ગુડ્ડુના પેટના ભાગે ચપ્પુના અનેક ઘા ઝીંકી દીધા હતા. આ હુમલો એટલો ગંભીર હતો કે ગુડ્ડુના આંતરડા પણ બહાર આવી ગયા હતા અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા બાદ ચારેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

ગુડ્ડુના ભાઈ અમરનાથની ફરિયાદના આધારે અમરોલી પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ગુપ્ત બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે આરોપીઓ ગુજરાત છોડીને ભાગી જવાની ફિરાકમાં છે. આ માહિતી મળતા જ પોલીસે તત્પરતા દાખવી અને સુરત રેલવે સ્ટેશન ખાતેથી ફરાર થયેલા ચારેય આરોપીઓને દબોચી લીધા હતા.

આ મામલામાં વધુ તપાસ અમરોલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરશે. આ ઘટનાએ ફરી એકવાર યુવાનોમાં વધતી હિંસા અને ગુનાખોરીની પ્રવૃત્તિઓ પર ચિંતા વ્યક્ત કરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles